world-service-rss

BBC News ગુજરાતી

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ઍક્ઝિટ પોલ જાહેર, જાણો કોની સરકાર બનવાનું અનુમાન છે?

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ઍક્ઝિટ પોલ જાહેર, જાણો કોની સરકાર બનવાનું અનુમાન છે?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 2:12:36 PM વાગ્યે

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થતાં જ અનેક એજન્સીઓએ પોતાના ઍક્ઝિટ પોલના અનુમાનો જાહેર કરી દીધા છે.

ગુજરાત : કૉમન સિવિલ કોડથી મુસ્લિમ અને આદિવાસી આગેવાનો કેમ ચિંતામાં છે?

ગુજરાત : કૉમન સિવિલ કોડથી મુસ્લિમ અને આદિવાસી આગેવાનો કેમ ચિંતામાં છે?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 1:16:36 PM વાગ્યે

ગુજરાત ભાજપે ત્રણ વર્ષ પહેલાં ચૂંટણી સમયે ગુજરાતમાં કૉમન સિવિલ કોડ અંગે જાહેરાત કરી હતી, હવે એને અમલમાં મૂકવા માટે ગુજરાત સરકારે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીની રચનાની જાહેરાત બાદ આદિવાસી અને મુસ્લિમ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે. તો સરકારનું કહેવું છે કે આમાં કોઈ સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યો નથી.

અમેરિકામાં ‘ગેરકાયદેસર’ રહેતા ભારતીયોને લઈને વિમાન અમૃતસર ઊતર્યું, અત્યાર સુધી શું-શું થયું?

અમેરિકામાં 'ગેરકાયદેસર' રહેતા ભારતીયોને લઈને વિમાન અમૃતસર ઊતર્યું, અત્યાર સુધી શું-શું થયું?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 9:04:45 AM વાગ્યે

ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માર્કો રુબિયોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

ગુજરાત : નગરપાલિકાના સભ્યોને કેટલી ગ્રાન્ટ મળે અને નગરપાલિકાએ કયાં કામો કરવાનાં હોય?

ગુજરાત : નગરપાલિકાના સભ્યોને કેટલી ગ્રાન્ટ મળે અને નગરપાલિકાએ કયાં કામો કરવાનાં હોય?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 2:52:37 PM વાગ્યે

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાનાં કુલ 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર મતદાન યોજાવાનું છે.

અબજોપતિ આગા ખાનનું નિધન : ઇસ્માઇલી મુસ્લિમોના ધર્મગુરુ કોણ હતા જે મહમદ પયગંબરના સીધા વારસદાર ગણાતા

અબજોપતિ આગા ખાનનું નિધન : ઇસ્માઇલી મુસ્લિમોના ધર્મગુરુ કોણ હતા જે મહમદ પયગંબરના સીધા વારસદાર ગણાતા

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 11:30:18 AM વાગ્યે

અબજોપતિ દાનવીર અને આધ્યાત્મિક ગુરુ આગા ખાનનું 88 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમના નિધનની માહિતી તેમની ધર્માદા સંસ્થા આગા ખાન ડૅવલપમેન્ટ નેટવર્કે આપી હતી. રાજકુમાર કરીમ આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમના 49મા વારસદાર હતા અને તેઓ મહમદ પયગંબરના સીધા વારસદાર હતા.

બેટ-દ્વારકામાં ફરી ડિમોલિશન: મસ્જિદો સહિત ધાર્મિક દબાણો તોડયાં, ખુલ્લી કરાયેલી જમીન પર હવે શું બનાવાશે?

બેટ-દ્વારકામાં ફરી ડિમોલિશન: મસ્જિદો સહિત ધાર્મિક દબાણો તોડયાં, ખુલ્લી કરાયેલી જમીન પર હવે શું બનાવાશે?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 8:14:43 AM વાગ્યે

બેટ-દ્વારકામાં જાન્યુઆરી મહિનાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ફરીથી હાઇકોર્ટે અરજી ફગાવી દેતા ફરી ડિમોલિશન કરાયું છે. દ્વારકા અને બેટને સાંકળતો એક કોરિડૉર બનાવવાની સરકારની યોજના છે.

અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીયોને હથકડી પહેરાવવા માટે કૉંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું- ન્યૂઝ અપડેટ

અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીયોને હથકડી પહેરાવવા માટે કૉંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું- ન્યૂઝ અપડેટ

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 12:19:21 PM વાગ્યે

ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.

ગુજરાતમાં લગ્નની સિઝન સમયે જ કેમ વધી રહ્યા છે સોનાના ભાવ, હાલ ખરીદવું કે નહીં?

ગુજરાતમાં લગ્નની સિઝન સમયે જ કેમ વધી રહ્યા છે સોનાના ભાવ, હાલ ખરીદવું કે નહીં?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 5:55:42 AM વાગ્યે

એક તરફ સોનાની કિંમત વધી રહી છે ત્યારે બીજી તરફ ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટી રહી છે. સોનાના ભાવમાં વધારાનું બીજું એક કારણ છે અને તે એ છે કે વિશ્વભરની કેન્દ્રીય બૅન્કો સોનું ખરીદી રહી છે. ડૉલર સામે રૂપિયાના નબળા પડવાના કારણ ઉપરાંત મધ્ય-પૂર્વ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, સોનાને પણ સલામત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?

મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 2:15:11 AM વાગ્યે

પ્રયાગરાજના કુંભમેળામાં ન કેવળ પુરુષ નાગા સાધુઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ નાગા સાધ્વીઓ પણ સામેલ છે. જાણો તેમના વિશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી: પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું

દિલ્હી વિધાનસભા ચૂંટણી: પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 એ 11:09:14 AM વાગ્યે

દિલ્હીની કુલ 70 બેઠકો પર લગભગ 699 ઉમેદવારોના ભાવીનો ફેંસલો 1.56 કરોડ મતદારો કરશે. ચૂંટણીનાં પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. વર્ષ 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પ્રાપ્ત થઈ હતી જ્યારે કે ભાજપે માત્ર આઠ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કૉંગ્રેસે છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી નથી.

ચાર્લ્સ શોભરાજની તિહાડમાં જેલના કર્મચારીઓને નશીલી મિઠાઈ ખવડાવીને નાસી છૂટવાની અને ફરી પકડાવાની કહાણી

ચાર્લ્સ શોભરાજની તિહાડમાં જેલના કર્મચારીઓને નશીલી મિઠાઈ ખવડાવીને નાસી છૂટવાની અને ફરી પકડાવાની કહાણી

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2025 એ 2:00:57 PM વાગ્યે

તિહાડ જેલના પ્રવક્તા અને કાયદાકીય સલાહકાર રહેલા સુનીલકુમાર ગુપ્તા 8 મે 1981એ પોતાનો એએસપી તરીકેનો નિમણૂકપત્ર લઈ જેલ અધીક્ષક બીએલ વીજની ઑફિસે પહોંચ્યા હતા. તિહાડની નોકરી મળતાં જ તેમણે નૉર્ધન રેલવેમાંની પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી.

કુંભમેળો : ભીડમાં અચાનક ભાગદોડ કેમ થાય છે, અભ્યાસો શું કહે છે?

કુંભમેળો : ભીડમાં અચાનક ભાગદોડ કેમ થાય છે, અભ્યાસો શું કહે છે?

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2025 એ 2:10:54 AM વાગ્યે

ઉત્તર પ્રદેશ સરકારે અંદાજ લગાવ્યો છે કે વસંતપંચમીની ઉજવણી માટે સોમવારે (ત્રીજી ફેબ્રુઆરી) પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો ભક્તો એકઠા થશે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુંભમેળાના અંત સુધીમાં એટલે કે 45 દિવસમાં 45 કરોડથી વધુ ભક્તો આવશે. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આટલા મોટા મેળાવડામાં ભીડનું સંચાલન કેવી રીતે કરવું.

વજન ઘટવું, તાવ આવવો : કૅન્સરના એવા 10 સંકેત જેને સામાન્ય ગણી ધ્યાન નથી અપાતું

વજન ઘટવું, તાવ આવવો : કૅન્સરના એવા 10  સંકેત જેને સામાન્ય ગણી ધ્યાન નથી અપાતું

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2025 એ 2:11:59 AM વાગ્યે

કૅન્સર રીસર્ચ યુકેના એક અધ્યયન અનુસાર જેમનામાં કૅન્સરની બીમારીના સંકેતો દેખાય છે એવા માત્ર 2 ટકા લોકો જ વિચારે છે કે તેમને કૅન્સરની બીમારી હોઈ શકે છે. લગભગ 75 ટકાથી વધુ લોકો ખતરાના સંકેતોને નજરઅંદાજ કરે છે.

ઇન્કમટૅક્સ : આવકવેરાનું જૂનું માળખું પસંદ કરવું કે નવું? જાણો પગારદારોને વધુ ફાયદો શેમાં છે

ઇન્કમટૅક્સ : આવકવેરાનું જૂનું માળખું પસંદ કરવું કે નવું? જાણો પગારદારોને વધુ ફાયદો શેમાં છે

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2025 એ 8:57:43 AM વાગ્યે

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26ના સામાન્ય બજેટમાં આવકવેરામાં મોટી રાહતની જાહેરાત કરી છે. શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ નવા ઇન્કમટૅક્સ સ્લેબની પણ જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર નવી ટૅક્સ રિજીમમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો નહીં પડે.

ભારત આર્થિક વિકાસમાં ચીન કરતાં પાછળ કેમ રહ્યું, રુચિર શર્માએ શું જણાવ્યું?

ભારત આર્થિક વિકાસમાં ચીન કરતાં પાછળ કેમ રહ્યું, રુચિર શર્માએ શું જણાવ્યું?

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2025 એ 2:23:38 AM વાગ્યે

જાણીતા લેખક, કૉલમિસ્ટ અને ગ્લોબલ ઇન્વેસ્ટર રુચિર શર્માનું માનવું છે કે હાલના સમયમાં ચીનની સરખામણીએ ભારતીય અર્થવ્યવસ્થા પાછળ રહી ગઈ છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે દરેકને એકસમાન તક આપવાની જરૂર છે.

ઇન્કમટૅક્સ : 12 લાખના ‘તીર’ વડે વડા પ્રધાન મોદીએ કેટલાં નિશાન સાધ્યાં?

ઇન્કમટૅક્સ : 12 લાખના 'તીર' વડે વડા પ્રધાન મોદીએ કેટલાં નિશાન સાધ્યાં?

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2025 એ 2:37:30 AM વાગ્યે

બજેટમાં કહેવાયું છે કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટૅક્સ ફ્રી રહેશે અને જો તમે પગારદાર હો તો આ મર્યાદા 12.75 લાખ થઈ જશે. (કારણ કે 75 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ કપાતમાં કોઈ બદલાવ નથી કરાયો.) આ જાહેરાત એટલા માટે મહત્ત્વની છે કે ટૅક્સ ફ્રી આવકની મર્યાદામાં સીધો પાંચ લાખ રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

સૈફ અલી ખાનની 15, 000 કરોડ રૂપિયાની સંપત્તિનું શું થશે, સરકારમાં જતી રહેશે?

સૈફ અલી ખાનની 15, 000 કરોડ રૂપિયાની સંપત્તિનું શું થશે, સરકારમાં જતી રહેશે?

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2025 એ 10:14:08 AM વાગ્યે

પટૌડી ખાનદાન અને ભોપાલ રજવાડાના વારસદાર ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને તેમના પરિવારજનોના હાથમાં 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ આવશે કે સરકાર પાસે જતી રહેશે? છેલ્લા થોડા દિવસોથી આ સવાલ ચર્ચાના કેન્દ્રમાં છે.