world-service-rss

BBC News ગુજરાતી

આદિમાનવનો ‘ઇતિહાસ’ એક ટને હજાર રૂપિયામાં વેચાય છે, રાખ વેચીને લોકો કેવી રીતે કમાણી કરે છે?

આદિમાનવનો 'ઇતિહાસ' એક ટને હજાર રૂપિયામાં વેચાય છે, રાખ વેચીને લોકો કેવી રીતે કમાણી કરે છે?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 4:35:58 PM વાગ્યે

આંધ્રપ્રદેશમાં એક ચમત્કારિક સ્થળ આવેલું છે, જ્યાં આદિમાનવ વિચરતા હોવાનું મનાય છે. ભારતમાં માણસના આગમનના મુખ્ય પુરાવા અને માનવજાતના ખંડો પાર કરવાના જીવંત પુરાવા નાંદયાલ જિલ્લામાં આવેલા રાખના ઢગલામાં સચવાયેલા પડ્યા છે. જોકે, જે લોકો આ ઐતિહાસિક સ્થળથી અજાણ છે તેઓ અહીંયાં અસ્થિઓ પ્રતિ ટન 1,000 રૂપિયામાં વેચી રહ્યા છે.

40 દેશોના વૈજ્ઞાનિકોએ ભારતના આ નાના ગામમાં સૂર્યગ્રહણ જોવા ધામા કેમ નાખ્યા હતા?

40 દેશોના વૈજ્ઞાનિકોએ ભારતના આ નાના ગામમાં સૂર્યગ્રહણ જોવા ધામા કેમ નાખ્યા હતા?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 11:49:59 AM વાગ્યે

તેલંગણાનું એક એવું ગામ કે જે એક સમયે આખી દુનિયામાં પ્રખ્ચાત હતું. નાગરકુર્નૂલ જિલ્લાના બિજીનપલ્લી મંડળમાં આવેલું પાલેમ ગામ કંઈક ખાસ છે. 1980માં ડઝનબંધ વિજ્ઞાનીઓ અને અવકાશ સંશોધકો આ ગામની મુલાકાત લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા, પણ તેનું કારણ શું હતું?

વલસાડ : બહેનના મોતની 15 મિનિટમાં નાની બહેનનું મોત, પ્રેમ એવો કે સાથે રહેવા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં

વલસાડ : બહેનના મોતની 15 મિનિટમાં નાની બહેનનું મોત, પ્રેમ એવો કે સાથે રહેવા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 3:32:42 PM વાગ્યે

ગુજરાતના વલસાડમાં એક અજબનો કિસ્સો બન્યો છે. બે બહેનોએ આખી જિંદગી એકબીજાનો સાથ આપ્યો, એકબીજાનો સહારો રહ્યાં, એટલું જ નહીં પણ બંને બહેનોને એકબીજા પર એટલો પ્રેમ હતો કે એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.

વધારે પડતું પાણી પીવું કેટલું ખતરનાક, ખરેખર કેટલું પાણી પીવું જોઈએ?

વધારે પડતું પાણી પીવું કેટલું ખતરનાક, ખરેખર કેટલું પાણી પીવું જોઈએ?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 1:32:22 PM વાગ્યે

જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું શરીર માટે નુકસાનકારક છે તે બધા જાણે છે, પરંતુ વધુ પડતું પાણી પીવામાં આવે તો કેવી હાલત થાય અને શરીર માટે તે કેટલું જોખમી બની શકે?

ક્ષત્રિય આંદોલન ફેમ પદ્મિનીબા વાળા સહિત પાંચ સામે હની ટ્રૅપમાં ફસાવવાની ફરિયાદ કેમ થઈ?

ક્ષત્રિય આંદોલન ફેમ પદ્મિનીબા વાળા સહિત પાંચ સામે હની ટ્રૅપમાં ફસાવવાની ફરિયાદ કેમ થઈ?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 8:39:24 AM વાગ્યે

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે સતત ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળા ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ છે. જોકે, પદ્મિનીબા વાળાએ તેમની ઉપર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે.

ગુજરાતમાં ચોમાસાની આગાહી : કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે, ક્યાં પડશે ધોધમાર તો ક્યાં ઓછો વરસાદ?

ગુજરાતમાં ચોમાસાની આગાહી : કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે, ક્યાં પડશે ધોધમાર તો ક્યાં ઓછો વરસાદ?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 7:02:17 AM વાગ્યે

આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નક્શો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

મુર્શિદાબાદ હિંસાઃ બાંગ્લાદેશ અને બીએસએફને કેમ જવાબદાર ગણે છે મમતા બેનરજી?

મુર્શિદાબાદ હિંસાઃ બાંગ્લાદેશ અને બીએસએફને કેમ જવાબદાર ગણે છે મમતા બેનરજી?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 5:16:33 AM વાગ્યે

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગયા અઠવાડિયે વકફ સુધારા કાયદાના વિરોધમાં મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી કોમી હિંસા તથા આગજનીની ઘટનાઓ માટે બાંગ્લાદેશના ગુનેગારો સામે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે બીએસએફ અને ભાજપ સામે પણ નિશાન તાક્યું છે.

અમદાવાદ : ‘હોલીવૂડ’ તરીકે જાણીતા ગુલબાઈ ટેકરાને કેમ ‘ખાલી’ કરાવાઈ રહ્યો છે?

અમદાવાદ : 'હોલીવૂડ' તરીકે જાણીતા ગુલબાઈ ટેકરાને કેમ 'ખાલી' કરાવાઈ રહ્યો છે?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 1:12:30 AM વાગ્યે

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાછળ સીજી રોડ જેવા પૉશ વિસ્તારને અડીને આવેલા ગુલબાઈ ટેકરામાં મોટે ભાગે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગીય પરિવારનો વસવાટ છે. રાજસ્થાની મારવાડી, બાવરી સમાજના લોકો ત્યાં રહે છે. મૂર્તિઓ બનાવવી અને છૂટક મજૂરી કરવી એ તેમની રોજગારી છે.

શૅરબજાર સિવાય રોકાણના અન્ય પાંચ વિકલ્પો કયા છે, તેમાં ફાયદો છે કે નુકસાન?

શૅરબજાર સિવાય રોકાણના અન્ય પાંચ વિકલ્પો કયા છે, તેમાં ફાયદો છે કે નુકસાન?

શનિવાર, 19 એપ્રિલ, 2025 એ 1:08:09 AM વાગ્યે

બીએસઈ સેન્સેક્સ સપ્ટેમ્બર 2024ના અંતે લગભગ 86,000 પૉઇન્ટના ઊંચા સ્તરે હતો. જે હાલમાં ઘટીને 78,553 પર આવી ગયો છે. એટલે કે સેન્સેક્સમાં લગભગ છ મહિનામાં 10 ટકાની આસપાસ ઘટાડો થયો છે. આ દરમિયાન ઘણા રોકાણકારો શૅરબજારથી દૂર જઈને ઇક્વિટી સિવાયના રોકાણના વિકલ્પો વિચારી રહ્યા છે. કયા છે આ વિકલ્પો?

‘હું જીવીશ ત્યાં સુધી આ ડર આમ જ રહેશે’, બાંગ્લાદેશની ગુપ્ત જેલમાંથી છૂટેલા લોકોની દુર્દશા જે મોત કરતાં પણ ખરાબ છે

'હું જીવીશ ત્યાં સુધી આ ડર આમ જ રહેશે',  બાંગ્લાદેશની ગુપ્ત જેલમાંથી છૂટેલા લોકોની દુર્દશા જે મોત કરતાં પણ ખરાબ છે

શુક્રવાર, 18 એપ્રિલ, 2025 એ 10:24:20 AM વાગ્યે

બાંગ્લાદેશમાં ગયા વર્ષે વ્યાપક પ્રદર્શન બાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. આ પછી તપાસકર્તાએ સેંકડો પીડિતો અને જેલના કેદીઓ સાથે વાત કરી છે. આ કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે કેટલાય લોકોને કેસ ચલાવ્યા વગર મારી નાખવામાં આવ્યા હતા.

‘પૈસા ભરેલા ડબ્બા ટ્રેનથી છૂટા કરી દેવાયા’, ગુંડાઓની ટોળકી કેવી રીતે 15 મિનિટમાં આખેઆખી ટ્રેન લૂંટી ગઈ

'પૈસા ભરેલા ડબ્બા ટ્રેનથી છૂટા કરી દેવાયા', ગુંડાઓની ટોળકી કેવી રીતે 15 મિનિટમાં આખેઆખી ટ્રેન લૂંટી ગઈ

શુક્રવાર, 18 એપ્રિલ, 2025 એ 12:59:48 PM વાગ્યે

1960ના દાયકામાં જંગી પ્રમાણમાં નાણા લઈ જતી આખેઆખી ટ્રેન લૂંટી લેવાની ઘટનાથી બ્રિટન ચકિત થઈ ગયું હતું, પરંતુ એપ્રિલ 1964માં એ લૂંટ કાંડના આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો ત્યારે ન્યાયાધીશે કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. એ ઘટનાનાં 14 વર્ષ પછી બીબીસી સાથે ઘણા દોષિતોએ વાત કરી હતી.

અમેરિકા પર કુલ કેટલું દેવું છે, ચીન શા માટે સતત અમેરિકાના બૉન્ડ ખરીદતું જાય છે?

અમેરિકા પર કુલ કેટલું દેવું છે, ચીન શા માટે સતત અમેરિકાના બૉન્ડ ખરીદતું જાય છે?

શુક્રવાર, 18 એપ્રિલ, 2025 એ 4:10:54 PM વાગ્યે

એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વૉર ચાલુ છે ત્યારે ચીન પાસે સૌથી વધારે અમેરિકન ટ્રેઝરી બોન્ડ છે. આગામી દિવસોમાં ચીન આ બૉન્ડ વેચવાનું શરૂ કરે તો કેવી સ્થિતિ પેદા થાય?

આઇન્સ્ટાઇને કરેલી એ ત્રણ ‘ભૂલો’ જેણે દુનિયા બદલી નાખી

આઇન્સ્ટાઇને કરેલી એ ત્રણ 'ભૂલો' જેણે દુનિયા બદલી નાખી

શુક્રવાર, 18 એપ્રિલ, 2025 એ 11:18:11 AM વાગ્યે

આટલા બુદ્ધિશાળી હોવા છતાં, આઇન્સ્ટાઇન ક્યારેક ભૂલો કરતા હતા. તેમની ભૂલોએ વિજ્ઞાન માટે નવી દિશામાં માર્ગ મોકળો કર્યો હતો. તે ભૂલોમાંથી જ વધુ શોધોને પ્રોત્સાહન મળ્યું હતું.

ગૂડ ફ્રાઈડે : શૂળીએ ચડાવાની સજાની શરૂઆત ક્યાં, ક્યારે અને કેવી રીતે થઈ?

ગૂડ ફ્રાઈડે : શૂળીએ ચડાવાની સજાની શરૂઆત ક્યાં, ક્યારે અને કેવી રીતે થઈ?

શુક્રવાર, 18 એપ્રિલ, 2025 એ 7:25:53 AM વાગ્યે

મૃત્યુની સજાની આ ભયાનક પદ્ધતિ ઈસુના જન્મની અનેક સદીઓ પહેલાંથી જ પ્રચલિત હતી, ઘણાં વર્ષો પહેલાં સિકંદર મહાને પૂર્વ ભૂમધ્ય સાગરના કિનારે વસેલા દેશો માટે આ સજાની પસંદગી કરી હતી.

લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પના કયા બિલનો ડર છે, હવે કેવા ફેરફારની તૈયારી છે?

લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પના કયા બિલનો ડર છે, હવે કેવા ફેરફારની તૈયારી છે?

મંગળવાર, 15 એપ્રિલ, 2025 એ 2:00:14 PM વાગ્યે

ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) એ યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પૂર્ણ કર્યા પછી સંબંધિત કાર્યનો અનુભવ મેળવવાની તક છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તમામ ક્ષેત્રોમાં ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમ સાથે આગળ વધવાનું વચન આપી રહ્યું છે. આના ભાગ રૂપે રિપબ્લિકન કૉંગ્રેસમેન પૉલ ગોસરે તાજેતરમાં ઓપીટીને રદ કરવા માટે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં “ફેયરનેસ ફૉર હાઇ-સ્કિલ્ડ અમેરિકન્સ ઍક્ટ” (HR2315) નામનું બિલ રજૂ કર્યું છે. જેનાથી અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં છે.

તારક મહેતામાં ‘દયાભાભી’ ક્યારે પરત ફરશે અને શો પર ઍક્ટરોએ લગાવેલા આરોપ પર પ્રૉડ્યુસર અસિત મોદીએ શું ખુલાસો કર્યો?

તારક મહેતામાં 'દયાભાભી' ક્યારે પરત ફરશે અને શો પર ઍક્ટરોએ લગાવેલા આરોપ પર પ્રૉડ્યુસર અસિત મોદીએ શું ખુલાસો કર્યો?

બુધવાર, 16 એપ્રિલ, 2025 એ 6:54:35 AM વાગ્યે

એક બાદ એક ઘણા કલાકારોએ આ શો છોડી દીધો. બીજી તરફ કલાકારોએ મેકર્સ પર શારીરિક અને માનસિક ઉત્પીડન સુધીના આરોપ પણ લગાવ્યા. પરંતુ હવે પહેલી વખત અસિત મોદીએ સીરિયલ સાથે જોડાયેલા વિવાદો અંગે મૌન તોડ્યું છે.

મેહુલ ચોક્સીની જ્યાં ધરપકડ થઈ તે બૅલ્જિયમનું નાગરિકત્વ કઈ રીતે મળે, કેટલો ખર્ચ આવે?

મેહુલ ચોક્સીની જ્યાં ધરપકડ થઈ તે બૅલ્જિયમનું નાગરિકત્વ કઈ રીતે મળે, કેટલો ખર્ચ આવે?

મંગળવાર, 15 એપ્રિલ, 2025 એ 11:51:25 AM વાગ્યે

બૅલ્જિયમ એ માનવ વિકાસ સૂચકાંકમાં આગળનું સ્થાન ધરાવતો અને ગુનાખોરીના મામલે બહુ શાંત ગણાતો યુરોપનો દેશ છે. રોકાણકારો અમુક લાખ યુરોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને અહીંના રેસિડન્ટ બની શકે છે, ત્યાર પછી નાગરિકત્વ મેળવી શકાય છે.

‘વકફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાત તો મુસ્લિમ યુવાનો સાઇકલનું પંક્ચર ન બનાવતા હોત’, પીએમ મોદીના આ નિવેદન પર કેમ થયો વિવાદ?

'વકફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાત તો મુસ્લિમ યુવાનો સાઇકલનું પંક્ચર ન બનાવતા હોત', પીએમ મોદીના આ નિવેદન પર કેમ થયો વિવાદ?

મંગળવાર, 15 એપ્રિલ, 2025 એ 5:26:56 AM વાગ્યે

દેશના ઘણા ભાગોમાં વકફ સંશોધનના આ નવા કાયદાનો વિરોધ ચાલુ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાયદા સામે થયેલાં વિરોધપ્રદર્શનો હિંસક બન્યાં હતાં જે દરમિયાન ત્રણ લોકોનાં મોત થયાં હતાં.